Get Mystery Box with random crypto!

-:પ્રસિદ્ધ થયેલા નામો:- કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળ | Bharat Academy - Bhavnagar®

-:પ્રસિદ્ધ થયેલા નામો:-
કાનો , લાલો , રણછોડ , દ્વારકાધીશ, શામળિયો , યોગેશ્વર , માખણચોર, જનાર્દન

-:ચાર યોગ:-
ગોકુળમાં ભક્તિ
મથુરામાં શક્તિ
કુરુક્ષેત્ર માં જ્ઞાન
દ્વારિકા માં કર્મ યોગ

-:વિશેષતા:-
જીવન માં ક્યારેય રડ્યા નથી

-:કોની કોની રક્ષા કરી:-
દ્રૌપદીનાં ચીર પૂર્યા , સુદામાની ગરીબી દૂર કરી , ગજેન્દ્રનો મોક્ષ , મહાભારતના યુદ્ધમાં પાંડવો ની રક્ષા કરી, ત્રીવ્કા દાસી ની ખોડ દુર કરી , કુબ્જા ને રૂપ આપ્યું, નલકુબેર અને મણીગ્રીવ બે રુદ્રો વૃક્ષ રૂપે હતા તેમને શ્રાપ મુક્ત કર્યા , યુદ્ધ વખતે ટીંટોડી ના ઈંડા બચાવ્યા

-:મુખ્ય તેહવાર:-
જન્માષ્ટમી , રથયાત્રા , ભાઈ બીજ , ગોવર્ધન પૂજા , તુલસી વિવાહ , ગીતા જયંતિ
ભાગવત સપ્તાહ , યોગેશ્વર દિવસ , તમામ પાટોત્સવ , નંદ મહોત્સવ , દરેક માસ ની પૂનમ અને હિંડોળા

-:ધર્મ ગ્રંથ અને સાહિત્ય:-
શ્રીમદ ભગવદ ગીતા , મહાભારત, શ્રીમદ ભાગવદ ૧૦૮ પુરાણો , હરિવંશ , ગીત ગોવિંદ , ગોપી ગીત , ડોંગરેજી મહારાજ નું ભગવદ જનકલ્યાણ ચરિત્ગ્રંથો અને અન્ય અઢળક.

-:શ્રીકૃષ્ણ ચરિત્રોને લગતા સ્વરૂપો:-
નટખટ બાળ કનૈયો , માખણ ચોર કનૈયો , વિગેરે

-:શ્રી કૃષ્ણ ભક્તિ ના વિવિધ સમ્પ્રદાય:-
શ્રી સંપ્રદાય , કબીર પંથ , મીરાબાઈ , રામાનંદ , વૈરાગી , વૈષ્ણવ , વિગેરે

-:સખા સખી ભક્ત જન:-
સુદામા ,ઋષભ , કુંભણદાસ, અર્જુન , ત્રીવકા, ચંદ્રભાગા , અંશુ , સુરદાસ,, પરમાનંદ , દ્રૌપદી , શ્યામા, તુલસીદાસ, વિન્ધાયાવ્લી અને વિદુર

સંવાદ શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે જે કરુક્ષેત્રમાં થયો તે સર્વે જગતમાં એક તત્વજ્ઞાન રુપે ગીતાગ્રંથ ના નામે જાહેર થયો
ગીતા મહાગ્રંથ

-:શાસ્ત્રીય રાગ આધારિત ભક્તિ:-
સવારે - ભૈરવ વિલાસ , દેવ ગંધાર , રામકલી, પંચમ સુહ , હિંડોળા રાગ
બપોરે - બીલાવ્લ , તોડી , સારંગ, ધનાશ્રી, આશાવરી ,

-:આરતીની વિશિષ્ટતા:-
સવારે ૬ વાગે મંગલા
સવારે ૮-૧૫ બાળ ભોગ
સવારે ૯-૩૦ શણગાર
સવારે ૧૦ વાગે ગોવાળ ભોગ
સવારે ૧૧-૩૦ રાજ ભોગ
બપોરે ૪ વાગે ઉત્થાન આરતી
સાંજે ૫-૩૦ વાગે શયન ભોગ
સાંજે ૬-૩૦ સુખડી ભોગ
સાંજે ૭ વાગે શયન આરતી

-:પહેરવેશ:-
માથા સુંદર પાઘ એમાં મોર પીછની કુદરતી કલગી (આ વખતે એવી પાઘ દ્વારકા ચડાવસું) , કાન પર કુંડળ
ગાળામાં વૈજ્યન્તી માળા , હાર , હાથના કાંડા પર બાજુબંધ , કળાકાર કંકણ, એક હાથ માં વાંસળી બીજા હાથ માં કમળ , કેડે કંદોરો , શીન્ડી ને છડી, પગ માં સાંકળા, લલાટે ક્સ્તુરીયુંક્ત ચન્દન નું તિલક પીળું પીતાંબર, અંગરખું.

-:કોનો કોનો વધ કર્યો ?:-
પુતના , વ્યોમાસુર, અરીશ્તાસુર, શિશુપાલ ભસ્માસુર, અધાસુર , વિગેરે

-:જીવનમાં ૮ અંક નું મહત્વ:-
દેવકી નું આઠમું સંતાન
શ્રીવિષ્ણુભગવાન નો આઠમો અવતાર
કુલ ૮ પટરાણીઓ
શ્રાવણ વદ ૮ નો જન્મ
જુદા જુદા ૮ અષ્ટક
કુલ ૮ સિદ્ધિ ના દાતા
*શ્રેષ્ઠ મંત્ર* શ્રીકૃષ્ણ શરણમ્ મમ અને ૐ નમો ભગવતે વાસુદેવાય

-:અવતારના ૧૨ કારણો:-
ધર્મની સ્થાપના
કૃષિ કર્મ
પૃથ્વી ની રસાળતા
જીવો નું કલ્યાણ
યજ્ઞ કર્મ
યોગ નો પ્રચાર
સત્કર્મ
અસુરોનો નાશ
ભક્તિ નો પ્રચાર
સ્જ્નનો ની રક્ષા
ત્યાગ ની ભાવના

-:૧૧ બોધ પ્રેમ:-
માતૃ પ્રેમ
પિતૃ પ્રેમ , .
મિત્ર પ્રેમ
કર્મ
જ્ઞાન
ભક્તિ
ગ્રામોધ્ધાર
ફરજ પાલન
સ્ત્રી દાક્ષિણ્ય
રાજ નીતિ
કૂટ નીતિ

યોગ
-સ્વાસ્થ્ય
જેવા સાથે તેવા અન્યાય નો પ્રતિકાર દુષ્ટો નો સંહાર

"-:૧૧ ના આંક નું મહત્વ:-
અવતાર લેવા ના ૧૧ કારણો

ભગવદ ગીતાનો ઉપદેશ
માગશર વદ ૧૧

યાદવો ની વસ્તી
૫૬ કરોડ હતી
શ્રેષ્ટ ઉપવાસ
અગિયારસ નો

અર્જુનને વિરાટ દર્શન દેખાડ્યું તે ૧૧મો અધ્યાય
મથુરા છોડ્યું ત્યારે ઉંમર ૧૧વર્ષ

-:મૃત્યુના કારણો:-
ગાંધારીનો શ્રાપ , દુર્વાસા મુની નો શ્રાપ , વાલીનાં વધનું કારણ

-:દેહ ત્યાગ નું સ્થળ:-
સોમનાથ તીર્થ ,પ્રભાસ પાટણ , જીલ્લો ગીર-સોમનાથ (ગુજરાત) હિરણ્ય નદી , કપિલા નદી, સરસ્વતી નદીનાં સંગમ સ્થાને પીપળા ના વૃક્ષ નીચે ભાલકા તીર્થ વાલીનો અવતાર પારધીના બાણ થી

અવસાન બાદ તેમનું તેજ
ભાગવત ગીતા મહાપુરાણ

અવસાન બાદ તેમનો અંશ
શાલિગ્રામ

:અવસાન ની વિગત:-
મહાભારત ના યુદ્ધ વખતે ૮૯ વર્ષ ૨ માસ ૭ દિવસ શુક્રવાર
મૃત્યુ સમયે તેમની ઉંમર ૧૨૫ વર્ષ ૭ માસ ૭ દિવસ તારીખ ૧૮-૦૨-૩૧૦૨ ઈ.સ. પૂર્વ શુક્રવાર બપોરના ૨કલાક ૭મિનિટ ને ૩૦ સેકન્ડ.