Get Mystery Box with random crypto!

ગિજુભાઈ ભગવાનજી બધેકા યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) | જ્ઞાન સારથિ


ગિજુભાઈ ભગવાનજી બધેકા

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

આજના દિવસે ગિજુભાઈ બધેકાનુ એક ઉત્તમ વાક્ય..
“જેઓ ચોપડી જ વાંચીને જ્ઞાન લેવાની મુરાદ રાખે છે, તેઓ મહેતાજી થશે અને જેઓ બાળકને વાંચીને જ્ઞાન મેળવશે તેઓ કેળવણીકાર થશે. બાળક માત્ર કેળવણીકાર માટે સમર્થ, અદ્વિતીય અને મહાન ગ્રંથ છે.” – ગિજુભાઈ બધેકા

બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી
1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ
તેઓ "મૂછાળી મા" ના હૂલામણાં નામથી જાણીતા હતા.
૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી.
૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિર ની સ્થાપના કરી હતી.

૧૯૨૦ના દાયકામાં ગિજુભાઈએ બાલ મંદિરની સ્થાપના કરી. પછીથી, નાનાભાઈ ભટ્ટ , હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈએ ભાવનગરમાં
શ્રી દક્ષિણામૂર્તિ વિનય મંદિર શાળાની સ્થાપના કરી હતી.

તેમનો જન્મ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના
ચિત્તળ ગામમાં થયો હતો. તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું. તેમનો ઉછેર ભાવનગરમાં થયો હતો. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા. ૨૩ જૂન ૧૯૩૯ના રોજ મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

(૧૫-૧૧-૧૮૮૫, ૨૩-૬-૧૯૩૯): બાળસાહિત્યકાર. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં. ૧૯૦૫માં મેટ્રિક. પ્રિવિયસનું વર્ષ પૂરું કરી મુંબઈની વેપારી પેઢીમાં જોડાયા. ૧૯૦૭માં આફ્રિકાગમન. ૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. ૧૯૧૩થી ૧૯૧૬ સુધી વઢવાણ-કેમ્પમાં ડિસ્ટ્રિક્ટ હાઈકૉર્ટ પ્લીડર. ૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. ૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય.
મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો.

૧૯૨૯માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૩૬માં દક્ષિણામૂર્તિભવનમાંથી નિવૃત્ત.
પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.

ગુજરાતીમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા – વાર્તા – નાટક જેવા વિવિધ પ્રકારોમાં વિપુલપણે પ્રગટાવ્યું છે. આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે.

શિક્ષણના વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ
કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.
ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.
શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.
બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.
સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.

શિક્ષણ – વાર્તાનું શાસ્ત્ર, માબાપ થવું આકરૂં છે, સ્વતંત્ર બાલશિક્ષણ, મોન્ટેસરી પધ્ધતિ, અક્ષરજ્ઞાન યોજના, માબાપ થવું આકરું છે, બાલ ક્રીડાંગણો, શિક્ષક હો તો, ઘરમાં બાળકે શું કરવું

બાળસાહિત્ય – ઈસપનાં પાત્રો, કિશોર સાહિત્ય ( 1-6) , બાલ સાહિત્ય માળા( 25 ગુચ્છો) , બાલ સાહિત્ય વાટિકા ( 28 પુસ્તિકા) , જંગલ સમ્રાટ ટારઝનની અદ્ ભૂત કથાઓ ( 1-10) , બાલ સાહિત્ય માળા ( 80 પુસ્તકો)

ચિતન – પ્રાસંગિક મનન, શાંત પળોમાં

યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)